મોરબી, વાંકાનેર અને હળવદમાં કોરોનાના નવા ૨૪ કેસ, ૧૪ દર્દીઓ સ્વસ્થ

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૪ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૬ કેસો જેમાં ૦૯ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં તેમજ હળવદના ૦૫ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૨૪ નવા કેસો નોંધાયા છે જયારે ૧૪ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૪૯૭ થયો છે જેમાં ૧૫૪ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૨૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે

Comments
Loading...
WhatsApp chat