કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સોનગઢ નજીક સેવાકેમ્પ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયામીયાણા જતા રસ્તામાં સોનગઢ ગામ પાસે આવેલ માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા માટે સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન મોરબીના ધીરુભાઈ ચાવડા,  કે.સિ. જાડેજા – અને મોરબી પરા બજાર મિત્ર મંડળ સહિતના ઉત્સાહિત સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે આ તમામ સભ્યો કેમ્પમાં ખૂબ જ ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે. મહત્વનું છે કે આ કેમ્પ સતત છેલ્લા 20 વરસથી યોજાઇ રહ્યો છે. મહત્વનું છે કે આ કેમ્પ આગામી 22 તારીખ અને રવિવારથી શરૂ થશે અને 28 તારીખ અને શનિવારે પૂર્ણ થશે. આખી લોકોને દિવસ અને રાત સેવા આપશે. સાથે જ આ કેમ્પમાં વિનામૂલ્યે જમવાનું ન હોવાની ચા-પાણી નાસ્તો રાત્રિરોકાણ આરામ અને મેડિકલ સહિતની સારવાર આપવામાં આવશે તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat