દશામાંના વ્રત પુર્ણાહુતી બાદ મૂર્તિ વિસર્જન કરવાની પરંપરા છે ત્યારે મોરબીમાં મચ્છુ માતાજી મંદિરે મૂર્તિ વિસર્જન કરવા આવનાર બહેનોને કોઈ મુશ્કેલીનો સામનો ના પડે તેમજ નદીના કાંઠે મૂર્તિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી
વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી કમલભાઈ દવે, બજરંગ ગૌ રક્ષક પ્રમુખ કરણ (કાયનુભા) પરમાર, બજરંગ દળ શહેર ઉપપ્રમુખ ચિરાગ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરી હતી તેમજ બહેનો માટે ચા-કોફીની વ્યવસ્થા રાખી હતી