બનાવની મળતી વિગત મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાત્રીના લગભગ ૧૦ વાગે નાની વાવડી ગામનો મનોજ જગદીશભાઈ નાગલા નામના ૩૫ વર્ષના યુવક પ્રથમ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા. બાદમાં થોડી વાર બાદ તેઓ સળગતા સળગતા ફરી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા બાદમાં બહાર તેઓએ ઝલદ પ્રવાહી છાંટીને જાત જલાવી હતી અને તેઓ સળગતા સળગતા હોસ્પિટલની અંદર આવ્યા હતા. સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, મુસાભાઈ, જીજ્ઞેશભાઈ સહિતનાએ આ યુવકના શરીરે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ડોકટરો એની તરત સારવાર શરૂ હતી . હાલત અતિ ગંભીર હોય જેથી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. એ ડીવીઝન પોલીસ માંથી મળતી પ્રાથમિક વિગત મુજબ યુવાન માનસિક બીમારીની દવા ચાલુ હતી પણ સાચું કારણ તો તપાસ બાદ જ જાણી શકાય