મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ, શહીદ વીરાંજલી કાર્યક્રમ

લગ્નપ્રસંગમાં મહેમાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી

        કાશ્મીરમાં સીઆરપીએફ કાફલા પર થયેલ આતંકી હુમલામાં દેશના વીર જવાનોએ શહાદત વહોરી છે ત્યારે બીજી તરફ દેશના લોકોમાં આ ઘટના બાદ ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની એકમાત્ર માંગ દેશભરમાંથી ઉઠી રહી છે તો મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા ઠેર ઠેર કાર્યક્રમો યોજાશે

        કાશ્મીરમાં થયેલા હુમલાને પગલે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે જેમાં ટંકારાના મોટા ખીજડીયા મુકામે એક્સ આર્મીમેન મોહબ્બતસિંહ સુરુભાના ઘરે લગ્ન પ્રસંગ હોય પરિવાર અને મહેમાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી   

જયારે મોરબીમાં આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જે કેન્ડલ માર્ચ નહેરુ ગેઇટ ચોકથી શહીદ ભગતસિંહ સ્ટેચ્યુ સુધી જશે સાંજે ૦૬ : ૩૦ કલાકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કેન્ડલ માર્ચમાં નગરજનોએ જોડાવવા આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશભાઈ પારિયાએ જાહેર જનતાને અપીલ કરી છે   

        જયારે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ વીરાંજલી કાર્યક્રમ યોજાશે જેમાં તા. ૧૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે જીઆઈડીસી નાકા પાસે, શનાળા રોડ મોરબી ખાતે શહીદ વીરાંજલી સભા યોજાશે તેમ ભારત વિકાસ પરિષદની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat