વાંકાનેરમાં શ્રી વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરુ કરાયા

ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે આવેલ શ્રી વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળા કોરોના મહામારી બાદ ફરીથી ધોરણ 6 , 7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે સરકારના આદેશ અનુસાર શરૂ કરવામાં આવી છે. આ તકે ખાસ માસ્ક, સનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મંજૂરીપત્ર લઇ તેમની પાસે લેખિતમાં રૂબરૂ સંમતી પત્ર લઈને બાળકોને બોલાવવામાં આવ્યા હતા. આ તકે ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક બાળકો ને તિલક કરી મીઠું મોઢું કરાવી પ્રવેશ કરવ્યો હતો. આજથી રેગ્યુલર સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખીને ફરીથી શાળા શરૂ કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat