હળવદના ઘનશ્યામપુર ગામે મકાન કામ ચાલુ હોય અને શેરીમાં રેતી નાખેલ હોય જે બાબતે પાડોશીઓ બાખડ્યા હતા અને આ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે
હળવદના ઘનશ્યામપુરના રહેવાસી બળદેવભાઈ નાગરભાઈ મકવાણા (ઉ.વ.૩૯) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મકાનનું કામ ચાલુ હોય અને શેરીમાં રેતી નાખેલ હોય જે રેતી આરોપી ત્રિભોવન પરાગભાઈ દલવાડી પાથરી દેતા આ અંગે કહેવા જતા ઉશ્કેરાઈ ગયો હતો અને માથામાં તેમજ શરીરે ઈજા કરી છે
જયારે સામાપક્ષે દીપકભાઈ ત્રિભોવનભાઈ સોનગ્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મકાન કામ ચાલુ હોય અને શેરીમાં રેતી નાખેલ હોય જે રેતી આધી કરતા હોય ત્યારે આરોપી બળદેવભાઈ નાગરભાઈ મકવાણા આવી રેતી કેમ આઘી કરો છો કહી ગાળો આપી પાવડાથી મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે