વાંકાનેરના સરધારકા ગામના વતની જીતુભા માનુભા ઝાલા (ફોરેસ્ટર) નું અવસાન

વાંકાનેર તાલુકાના સરધારકા ગામના રાજપૂત ક્ષત્રીય સમાજ અગ્રણી જીતુભા માનુભા ઝાલા (ફોરેસ્ટર) કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન દુખદ અવસાન થયું છે ત્યારે સરધારકા ગામના અગ્રણીના મૃત્યુને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય ત્યારે સૌ કોઈ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનું પાલન કરે અને સાવચેતી રાખે તેવી અપીલ કરી હતી તેમજ પોતાનો વારો આવે ત્યારે વેક્સીન પણ જરૂર લે તેવી અપીલ પરિવારના સભ્યોએ કરી હતી

Comments
Loading...
WhatsApp chat