સત્તાધારી પક્ષને કાયદો લાગુ ના પડે ? મોરબીમાં ભાજપ નેતાઓની હાજરીમાં સોશ્યલ ડીસટન્સના લીરેલીરા

કાર્યકરો ટોળે વળ્યા, સામાન્ય નાગરિકો પાસેથી શું અપેક્ષા રાખશો ?

મોરબીમાં પેટા ચુંટણી સંદર્ભે ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોય જેમાં સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા

ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલ સી આર પાટીલની ઉપસ્થિતિમાં અનેક સ્થળે ગરબા જોવા મળ્યા હતા અને વિવાદ સર્જાયા હતા જોકે આ પરંપરાને ભાજપના અન્ય નેતાઓ પણ અનુસરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણકે આજે મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હતા

મોરબીના હરભોલે હોલ ખાતે ભાજપની મીટીંગમાં ભાજપ નેતા ભીખુભાઈ દ્લસાણીયા, શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રી સૌરભભાઈ પટેલ, મોહનભાઈ કુંડારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા ત્યારે કાર્યકરોમાં ભીડ જોવા મળી હતી અને સોશ્યલ ડીસટન્સ ક્યાય નજરે પડ્યું ના હતું નેતાઓ જો તેના કાર્યકરો નિયમ પાલન કરાવી સકતા ના હોય તો સામાન્ય લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકશે તેમજ શું સત્તાધારી પક્ષના કાર્યકરો ને નિયમો લાગુ નથી પડતા તેવી ચર્ચા પણ લોકમુખે જોવા મળી હતી

Comments
Loading...
WhatsApp chat