મોરબી પીજી પટેલ કોલેજ અને એચડીએફસી બેંકના સંયુક્ત ઉપક્રમે આજે કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કાર બ્લડ બેન્કે સેવા આપી હતી કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને સંસ્થાના આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની અપીલને પગલે મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કેમ્પમાં જોડાયા હતા
રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન હાર્દિકભાઈ રાવલ, હિતેનભાઈ કનખરા, આશિષભાઈ સેલારકા અને આચાર્ય ડો. રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ એચડીએફસી બેંકના નૈમિષભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં ૧૦૮ થી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી
કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય ઉપરાંત કોલેજ સ્ટાફના હેમાંગભાઈ ઠાકર, કેતન કડીવાર, હિરેન મહેતા, જયેશ પીઠડીયા, જશવંત મીરાની, હિતેન્દ્ર જાડેજા, કુશળ અનડકટ તથા HDFC બેંક પરિવારના વિજય અઘારા, નીરવ શાહ, ભાવિક મહેતા, પંકજ પેઢાળીયા, રાજુ ખાંટ, વિજય પરમાર, સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી