મોરબીમાં આગામી શનિવાર-રવિવારે કેન્સરના દર્દીઓ માટે નિશુલ્ક કેમ્પ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી શહેર અને આસપાસના ગામડાઓની જનતા માટે આશીર્વાદરૂપ બનેલી શ્રી વિસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી-૨ નવાડેલા રોડ મોરબી ખાતે આગામી શનિવાર અને રવિવારના રોજ કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

        ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ખાતે તા. ૦૮ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૦૯ ને રવિવારના રોજ સવારે 9 થી ૧૨ કલાકે કેન્સરના દર્દીઓ માટે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડીકલ ઓફિસર ડો. ધીમંતભાઈ દવે પાસે અગાઉથી નોંધાવી લેવા જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat