સ્વ. સુરજબેન-સ્વ. વનેચંદ રાજપાળ શાહના સ્વર્ગારોહણ દિન નિમિતે જયેન્દ્રબાળાબેન ઇન્દુલાલ મહેતા સુરજ્વન પરિવારના હસ્તે રવિવારે ગ્રીન ચોક નજીક આવેલા ડો. હસ્તીબેન મહેતા દવાખાના ખાતે એક દિવસીય ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં સેવાભાવી ડો. હસ્તીબેન મહેતાએ દર્દીઓને વિનામૂલ્યે તપાસી દવાઓ આપી હતી જે ફ્રી દવા વિતરણ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો