કોરોના મહામારીમાં પરિવારના તમામ સભ્યો સંક્રમિત હોય અને પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી સકાય તેમ ના હોય તેવા પરિવારો માટે વિનામુલ્યે ભોજન સેવા પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે
વાંકાનેર શહેર માટે જય ગોપાલ વિનામુલ્યે ભોજન સેવા શરુ કરવામાં આવી છે કોરોનાને પગલે આખું પરિવાર હોમ કોરોનટાઈન હોય અને જમવાનું બનાવી સકે તેવી સ્થિતિ ના હોય તેવા પરિવારો માટે તેમજ હોસ્પિટલમાં પણ વિનામુલ્યે સાંજનું ઘર જેવું ભોજન ફ્રી હોમ ડીલીવરીથી વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે જેના માટે નાગજીભાઈ ચાવડા મો ૯૮૭૯૦ ૦૯૨૨૮ માં વોટ્સએપ પર વ્યક્તિની સંખ્યા અને સરનામું સવારે ૧૦ થી ૧ સુધીમાં નોંધાવવા અને વોટ્સએપ સુવિધા ના હોય તો ફોન કરવા યાદીમાં જણાવ્યું છે