(હર્ષદરાય કંસારા)
ટંકારા તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ટંકારામાં પદયાત્રા તથા લોક સંપર્ક કરવામાં આવ્યો હતો
આમ આદમી પાર્ટીની પદયાત્રા ટંકારાની લતીપર ચોકડી, દયાનંદ ચોક, ઘેટિયાવાસ લોવાસ, લક્ષ્મીનારાયણ શેરી સહિતના વિસ્તારોમાં ફરી હતી અને લોકો સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો
આ પદયાત્રામાં ધર્મેન્દ્ર કક્કડ, પંકજભાઈ ત્રિવેદી, નરોત્તમભાઈ ગોસરા, કૌશિકભાઈ પ્રજાપતિ, ઉમેશભાઈ ડોબરીયા, નવીનભાઈ દેત્રોજા, પિયુષભાઈ પાલરીયા, પ્રકાશભાઈ ચૌહાણ સહિતના કાર્યકરો જોડાયા હતા