“ભારતીય સેના પાસે સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગનારે મત માંગવા આવવું નહિ” મહેન્દ્રનગર ગામે લાગ્યા બેનરો

ચુંટણી પૂર્વે બેનરો લાગતા રાજકીય ગરમાવો

સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગનાર પાર્ટીએ

મત માગવા ગામમાં ના આવવું ના લાગ્યા બેનર

        લોકસભા ચુંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે જોકે સર્વત્ર લોકસભા ચુંટણીનો રંગ બરાબરનો જામ્યો છે અને મતદારો, યુવાનો પોતાના મનની વાત બેનરો લગાવીને કરતા હોય છે જેમાં મોરબી નજીકના ગામમાં ચુંટણી પૂર્વે બેનર લાગતા રાજકીય માહોલ ગરમાયો છે કારણકે બેનરમાં સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગનાર પાર્ટીએ આવવું નહિ તેવું લખવામાં આવ્યું છે

        મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે દીવાલોમાં બેનર લગાવવામાં આવ્યા છે જે બેનરોમાં કોઈ પાર્ટીનું નામ લખવામાં આવ્યું નથી જોકે બેનરમાં જણાવ્યું છે કે ભારતીય સેના પાસે સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગતી પાર્ટીએ આ ગામમાં મત માંગવા પ્રવેશવું નહિ આ ગામમાં સેનાનું અપમાન કરતી પાર્ટીને મત આપવામાં આવશે નહિ અને નીચે લી. રાષ્ટ્રપ્રેમી મહેન્દ્રનગર ગ્રામજનો લખવામાં આવ્યું છે બેનરો કોને લગાવ્યા તે હાલ ચર્ચાનો વિષય છે જોકે આ બેનરો જેને લાગુ પડે છે તે રાજકીય પક્ષોના પરસેવા છૂટી જશે તે નક્કી છે

        ઉલ્લેખનીય છે કે સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે કે નહિ તે અંગે સવાલો ઉઠાવી રાજકીય પક્ષોએ દેશની સુરક્ષાના મુદા પર પણ હલકું રાજકારણ કર્યું હોય અને હવે ચુંટણીનો સમય છે ત્યારે લોકશાહીના રાજા એવા મતદારો પણ રાજકીય પક્ષોને તેની ઓકાત બતાવી દેવા મેદાને પડ્યા છે જેની શરૂઆત મહેન્દ્રનગર ગ્રામજનોએ કરી છે   

Comments
Loading...
WhatsApp chat