કનકેશ્વરીદેવીના ગુરુ અને નિવૃત શિક્ષિકાની અંતિમ
ઈચ્છા મુજબ અંતિમયાત્રા બેન્ડ બાજા સાથે યોજાઈ
મોરબીમાં રહેતા નિવૃત શિક્ષિકાને પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજવાની અંતિમ ઈચ્છા હોય જે ઈચ્છા અનુસાર તેમના મૃત્યુ બાદ સગાસ્નેહીઓએ બેન્ડ બાજા સાથે સ્મશાનયાત્રા યોજી હતી
જીવનની જેમ મૃત્યુ પણ એક સત્ય છે આમ છતાં મનુષ્યમાં મૃત્યુનો ભય જોવા મળતો હોય છે ત્યારે મોરબીના નિવૃત શિક્ષિકાએ સમાજને નવી રાહ ચીંધી છે મોરબીના બુઢાબાવાની શેરીમાં રહેતા વિજયાબેન મૂળશંકર જાની નિવૃત શિક્ષિકા હોય જે પુ. ભાવેશ્વરીદેવીના પણ ગુરુ હોય અને મોરબીમાં મધર ટેરેસા તરીકે ઓળખાતા હતા જેમને સગાસ્નેહીઓને પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજવાની અંતિમ ઈચ્છા અગાઉ જ જણાવી દીધી હોય અને આજે તેનું મૃત્યુ થતા સગા-સ્નેહીઓ અને લત્તાવાસીઓએ તેમની અંતિમ યાત્રા બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે કાઢી હતી
મોરબીના નિવૃત શિક્ષિકાએ જીવનની જેમ મૃત્યુ પણ એક ઉત્સવ છે અને તેને પણ ઉજવવાની અનોખી પ્રેરણા પૂરી પાડી છે