મોરબી : મૃત્યુની ઉત્સવ જેમ ઉજવણી, વાજતે ગાજતે વૃદ્ધાની અંતિમ યાત્રા,Video

કનકેશ્વરીદેવીના ગુરુ અને નિવૃત શિક્ષિકાની અંતિમ

ઈચ્છા મુજબ અંતિમયાત્રા બેન્ડ બાજા સાથે યોજાઈ

        મોરબીમાં રહેતા નિવૃત શિક્ષિકાને પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજવાની અંતિમ ઈચ્છા હોય જે ઈચ્છા અનુસાર તેમના મૃત્યુ બાદ સગાસ્નેહીઓએ બેન્ડ બાજા સાથે સ્મશાનયાત્રા યોજી હતી

        જીવનની જેમ મૃત્યુ પણ એક સત્ય છે આમ છતાં મનુષ્યમાં મૃત્યુનો ભય જોવા મળતો હોય છે ત્યારે મોરબીના નિવૃત શિક્ષિકાએ સમાજને નવી રાહ ચીંધી છે મોરબીના બુઢાબાવાની શેરીમાં રહેતા વિજયાબેન મૂળશંકર જાની નિવૃત શિક્ષિકા હોય જે પુ. ભાવેશ્વરીદેવીના પણ ગુરુ હોય અને મોરબીમાં મધર ટેરેસા તરીકે ઓળખાતા હતા જેમને સગાસ્નેહીઓને પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજવાની અંતિમ ઈચ્છા અગાઉ જ જણાવી દીધી હોય અને આજે તેનું મૃત્યુ થતા સગા-સ્નેહીઓ અને લત્તાવાસીઓએ તેમની અંતિમ યાત્રા બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે કાઢી હતી

        મોરબીના નિવૃત શિક્ષિકાએ જીવનની જેમ મૃત્યુ પણ એક ઉત્સવ છે અને તેને પણ ઉજવવાની અનોખી પ્રેરણા પૂરી પાડી છે  

Comments
Loading...
WhatsApp chat