મોરબી : દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી કેવી રીતે ઝડપાયો ? જુઓ એસપીનું ઈન્ટરવ્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

       સોમવારે સાંજના સુમારે મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી ગંભીર ઘટનાને પગલે ડીવાયએસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકની માતા મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર ટાવર વાળી શેરીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ વાળા કમલાબેન મેશભાઈ તાજસીંગએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી કેપાબેન પંકેશભો મુણીયા ઉ.૨૫) રહે-પાંચપીપળા  મધ્યપ્રદેશ વાળીને આરોપી રવિભાઈ દલવાડીએ કડિયા કામની મજુરી કામે લઇ જવાના બહાને લઇ જઈને ફરિયાદીની દીકરી કેપાબેન સાથે દુષ્કર્મ કરી કોઈ કારણોસર કપડાથી તેને ગળા ટુપો દઈ મોત નીપજાવી લાશની ઓળખ ન થાય તે માટે લાશને સળગાવી નાખી હતી જે ફરિયાદ બાદ પોલીસે તપાસ ચલાવીને આરોપી રવિભાઈ બચુભાઈ હડીયલ (ઉ.વ.૨૨) રહે ગોકુલનગર શનાળા રોડ મોરબી વાળાને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

હત્યા બાદ આરોપી મૃતકની દીકરીને ઘરે મુકવા આવેલો

        ચકચારી મહિલા દુષ્કર્મ હત્યા કેસના આરોપી રવિ હડીયલ નામના શખ્શ સામે મૃતક પરિણીતા કડિયા કામે ગઈ હોય અને બપોરના સાડા ચારેક વાગ્યે મરણ જનારની દીકરીને ફરિયાદી પાસે મુકવા ગયો હતો જોકે કેપા અંગે પૂછતાં ગલ્લાતલ્લા કર્યા હતા બીજી તરફ ઓળખ મેળવવા કાર્યરત પોલીસની ટીમેં ફરિયાદીનો સંપર્ક કરતા ઓળખ થવા પામી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો હતો

પરપ્રાંતીય મહિલા ૧૦ દિવસ પૂર્વે જ મોરબી આવેલી

        દુષ્કર્મ બાદ જે પરિણીતાની હત્યા કરી દેવામાં આવી તે મહિલા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હોય અને ૧૦ દિવસ પૂર્વે જ મોરબી રહેવા આવી હતી અને કડિયાકામ કરવા ગયા બાદ નરાધમની નજર બગડી હતી સતવારા યુવાને પરિણીતા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી અને ઓળખ ના થઇ સકે તેથી પેટ્રોલ છાંટી સળગાવી દીધાની પોલીસને કબુલાત આપી છે

 

Comments
Loading...
WhatsApp chat