મોરબી : મીનીસ્ટ્રી ઓફ કોમર્સના વેબિનારમાં નીલેશભાઈ જેતપરીયા સ્પીકર તરીકે જોડાશે
મીનીસ્ટ્રી ઓફ કોમર્સ ભારત સરકાર દ્વારા સિરામિક્સ અને ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ માટે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સ્પીકર તરીકે જોડાશે
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા તા. ૨૪ ફેબુઆરીના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સિરામિક્સ અને ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ માટે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચેલેન્જીસ એન્ડ ઓપર્ચુનીટીઝ ઇન ક્વોલીટી એન્ડ પ્રોડકટીવીટી વિષય પર ચર્ચા કરવામાં આવનાર છે જેમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સ્પીકર તરીકે જોડાશે અને ચર્ચામાં ભાગ લેશે