અંધશ્રદ્ધા : હળવદના ચુપણી ગામે ઉકળતા તેલમાં હાથ નખાવતા મહિલા દાઝી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા

અંધશ્રદ્ધાનો આશરો લેતા મહિલા દાઝી, સારવારમાં  

હળવદના ચુપણી ગામે અંધશ્રદ્ધાની બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા માટે એક મહિલાનો હાથ ઉકળતા તેલમાં નાખી દેતા મહિલા દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે અને બનાવ અંગે પોલીસે અરજીને આધારે વધુ તપાસ ચલાવી છે 

ચકચારી ઘટનાની મળતી માહિતી મુજબ હળવદના ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ પડોશમાં રહે છે અને તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે. આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. ગેલાભાઈના પુત્રએ આ વિવાદિત વાડામાં પોતાના પશુ બાંધતા રૈયાભાઈએ આ વાળો આમારો છે તેવું કહેતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારે વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સુચવ્યો હતો.આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

બનાવ અંગે ગેલાભાઈએ હળવદ પોલીસમાં અરજી કરી હતી આથી બચાવ માટે સામે રૈયાભાઈએ પણ હળવદ પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. હળવદ પોલીસે બંને પક્ષની અરજી લઈને બનાવની તપાસ ચલાવી છે તો અંધશ્રદ્ધાના કિસ્સાને ચોતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે 

Comments
Loading...
WhatsApp chat