તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ મહોત્સવ- મોરબીના ઉપક્રમે આયોજિત પ્રદર્શનમાં બાળકોને જીવનનું અમૂલ્ય ભાથું આપી શકાય તેવું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. જે પ્રદર્શન નિહાળીને બાળકોમાં આજીવન વ્યસન મુક્ત રહેશે જે પ્રદર્શન જોઈને બાળકોને ભારતીય સંસ્કૃતિનું સાચું જ્ઞાન થશે. જે કદાચ આપણે આપી નહીં શકીયે એવા જીવન મૂલ્યોનું પણ સિંચન થશે. બાળકો માટે એક મુલાકાત તેની માટેનું આજીવન સંભારણું બની રહેશે.
પ્રદર્શનખંડમાં બે ટૂંકી ફિલ્મો પણ બતાવવામાં આવશે. જે ફિલ્મો જોઈને ઘણાના જીવન પરિવર્તન થયા છે. પ્રદર્શન ફ્રી માં જોવા મળશે. જેની કોઈ ફી રાખેલ નથી આગામી તા. ૧૨-૦૬-૧૯ થી ૧૭-૦૬-૧૯ દરમિયાન સવારે ૦૭ : ૩૦ થી રાત્રીના ૮ કલાક સુધી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર , ઝુલાતા પુલની બાજુમાં , મોરબી-2 ખાતે પ્રદર્શન યોજાશે જેનો લાભ લેવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે