મોરબીમાં આઠમાં સફાઈ અભિયાનમાં સામાકાંઠા વિસ્તારમાં સફાઈ કરાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વોર્ડના કાઉન્સિલર પણ સફાઈ અભિયાનમાં જોડાયા

        મોરબીમાં ડોકટરો, યુવાનો અને નાગરિકો દ્વારા શરુ કરવામાં આવેલ સફાઈ અભિયાનને બે માસનો સમય પૂર્ણ થયો છે અને સતત આઠમાં સપ્તાહે આજે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું

        મોરબી સ્વચ્છતા અભિયાન ટીમ દ્વારા આજે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે સફાઈ અભિયાનમાં બાળકો, વડીલો અને યુવાનો જોડાયા હતા તો આ વોર્ડના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજા અને વાય બી જાડેજાએ પણ જોડાઈને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું સ્વચ્છતા ટીમ ઉપરાંત નગરપાલિકા તરફથી સફાઈ કામદારોની વ્યવસ્થા કરવામાં આવતા સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે આગામી રવિવારે શનાળા રોડ સ્કાય મોલ નજીક સ્વચ્છતા અભિયાન યોજાશે

 

Comments
Loading...
WhatsApp chat