સાર્થક વિદ્યામંદિરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સેમીનાર યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સેમિનાર યોજાયો હતો મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતા વિવિધ પ્રકલ્પો પૈકી ત્રણ પ્રકલ્પની ઉપયોગી ત્રિવિધ માહિતી માટે સેમિનાર યોજાયો હતો

        સેમીનારમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાંથી ડિસ્ટ્રીક કાઉન્સેલર પટેલ પિયુતાબેન, ૧૮૧ અભયમ મહીલ હેલ્પલાઈનના કાઉન્સીલર પીન્કીબેન ભટ્ટી તેમજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વિદ્યાર્થીનીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી

કેવી કેવી સમસ્યા સમયે આ પ્રકલ્પનો કેવી રીતે ઉપયોગ કરી શકો, પોતાનું જીવન કેવી રીતે સરળ કરી શકાય સહિતની જરૂરી માહિતી આપવામાં આવી હતી સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના સંચાલક કિશોરભાઈ તેમજ પ્રધાનાચાર્ય ગણેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat