વાંકાનેર : સગીરા અપહરણ વિષે માહિતી આપનારને ઇનામની જાહેરાત…

       વાંકાનેર તાલુકા મથકમાં ગત વર્ષે સગીરા અપહરણ અંગે ફરિયાદ બાદ પણ સગીરાનો પત્તો લાગ્યો નથી ત્યારે સગીરા અપહરણ મામલે માહિતી આપનારને યોગ્ય ઇનામની જાહેરાત કરવામાં આવી છે

        વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદીએ પોતાની સગીર વયની (ઉ.૧૬ વર્ષ અને 9 માસ) ની દીકરીને આરોપી અશોક ઉર્ફે જગો ખોડીદાસભાઈ વસીયાણી રહે લુણસર તા. વાંકાનેર વાળો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ ગત તા. ૦૯-૦૪-૨૦૧૮  ના રોજ નોંધાવી હતી જોકે આરોપી કે ભોગ બનનારની તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી જેથી આરોપી અથવા ભોગ બનનારની માહિતી આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે

        અપહરણ મામલે માહિતી આપવા જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા મો ૯૯૭૮૪ ૦૫૯૭૫, એલસીબી પીઆઈ વી બી જાડેજા મો ૯૮૨૫૨ ૯૦૫૦૦, એ.એચ.ટી યુનિટ મોરબી પીઆઈ એચ એન રાઠોડ મો ૯૮૨૫૭ ૫૩૪૭૮, વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ મો ૯૯૦૯૭ ૩૬૫૫૫ અને મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નં ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે   

Comments
Loading...
WhatsApp chat