ઓરી-રૂબેલા રસીકરણની આડઅસર અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ શું કહ્યું, જુઓ વિડીયો

રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ અને વિભાગોની રૂબરૂ મુલાકાત કરીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું ત્યારે પત્રકારોએ આરોગ્ય મંત્રીને ઓરી રૂબેલા રસીકરણની આડઅસર અંગે સવાલો કર્યા હતા

હાલ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં સાઈડ ઈફેક્ટના અનેક કિસ્સા સામે આવ્યા બાદ વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ઓરી-રૂબેલા રસીકરણને લીધે આડઅસર થતી હોય જેથી વાલીઓ ચિંતિત હોય આ મામલે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આડઅસર સામાન્ય તાવ જેવી હોઈ સકે જોકે મૃત્યુ થાય તેવી આડઅસરનો ઇનકાર કર્યો હતો તેમજ હાલ કેન્દ્રની આરોગ્ય ટીમ રસીકરણ આડઅસર અંગે તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ વિવિધ સ્થળોએ તપાસ ચલાવે છે અને જે સત્ય હશે તે તપાસમાં બહાર આવશે તેમ જણાવ્યું હતું

જુઓ આરોગ્ય મંત્રીનું રસીકરણ અંગેનું મહત્વપૂર્ણ નિવેદનનો વિડીયો…….

Leave A Reply

Your email address will not be published.